શક્યતાની ક્ષિતિજ :માણસના મન ઉપરના લેખો નો સંગ્રહ
હરેશ ધોળકિયા
વ્યક્તિ એટલે મન. મોટા ભાગનાનું મન બિનતાલીમી છે. માટે ગૂંચવાયેલું છે. તે સમસ્યાઓ સર્જે છે. વિચારો અસ્પષ્ટ થાય છે. લાગણીઓ આવેશમાં ફેરવાય છે. જાગૃતિ ધૂંધળી બને છે. મન’ગ્રંથીઓ’ થી ગ્રસ્ત થાય છે. જીવનનો આનંદ નથી ભોગવી શકાતો,તે માટે જવાબદાર છીએ કેવળ ‘ આપણે’! પણ મનને કેળવી શકાય છે. વિચારો અને ભાવનાઓને સ્વસ્થ કરી શકાય છે.
કેળવાયેલું મન ધાર્યું કરી શકે છે. તેની શક્તિ અનંતગણી વધી જાય છે. સ્વસ્થ મન જીવનને આનંદ અને સોંદર્યથી છલકાવી નાખે છે.
સામાન્ય,અસ્પષ્ટ, ધૂંધળા મનને સજ્જ કરી સ્વસ્થ અને સફળ વ્યક્તિત્વ કેળવવાના વિચારો પીરસતું આ પુસ્તક છે. તે મનની પ્રજ્ઞા તરફની યાત્રા કરાવે છે. શાંતિ,પ્રેમ અને આનંદ ઇચ્છનાર માટે અનિવાર્ય વાંચન !