Sanskruti Sarita
સંસ્કૃતિ સરિતા
બંસીધર શુક્લ
સુષ્ટિના આરંભથી કાળના પ્રવાહમાં વહે છે ઘટનાઓ, વ્યક્તિઓ, વિચારો, તિથિઓ અને સ્થળો સમાજ અને સંસ્કૃતિનું ઘડતર કરે છે . આવી અગણિત ઘટનાઓથી તારવેલી પ્રભાવશાળી 268 જેટલી ઘટનાઓનો પરિચય એટલે સંસ્કૃતિ સરિતા .
ચરિત્ર, જીવનરેખા કે આત્મકથા એક વ્યક્તિના જીવનનો ઈતિહાસ છે . ઈતિહાસ એ માંનવસમાજનું ચરિત્ર છે . માનવજાતિ રૂપે આપણને આપણા ઇતિહાસમાં રસ હોય તે સ્વાભાવિક છે. આ ઈતિહાસ માનવી શું હતો ? કેવી રીતે જીવ્યો ? અને કેવી રીતે અત્યારની સ્થિતિએ પહોંચ્યો તેનું વર્ણન છે .તેના બે મુખ્ય ભાગ છે . સામાન્ય દૈનિક તથા રાબેતા મુજબની ઘટનાઓ તથા ક્યારેક બનતી અસામાન્ય ઘટનાઓ . ઈતિહાસ અસામાન્ય ઘટનાઓની વિશેષ નોંધ લે છે. કારણકે આ ઘટનાઓ સમાજ અને સંસ્કૃતિનું ઘડતર કરે છે . તેને વિકસાવે છે અથવા વિનાશની ગર્તામાં ધકેલે છે .
સુષ્ટિનો ઉદ્દભવ બિગ બેન્ગ સાથે થાય છે .ત્યારથી આજ સુધીની અગત્યની ઘટનાઓ, વ્યક્તિઓ, વિચારો, તિથિઓ અને સ્થળો આદિ જે ઘટકોએ સંસ્કૃતિના ઉત્થાન કે અવનતિમાં ફાળો આપ્યો છે તેમની કથા છે . આ શુષ્ક વર્ણન નથી . જીવંત શૈલીમાં , રસ પડે તેવી શૈલીમાં , લાઘવ જાળવીને, વિસ્તૃતિમાં વાત કરી છે .