Buy Prabhu Padharya Gujarati Book by Zaverchand Meghani Online at Low Prices પ્રભુ પધાર્યા - ઝવેરચંદ મેઘાણી ફયા લારે' (પ્રભુ પધાર્યા) : દેવ આવ્યા : એ બરમા લોકોની સ્વાગતવાણી છે. સકળ હિંદવાસીઓમાં વધુ પ્રિય એવા ગુજરાતીઓને તેઓ આ વાક્યે સત્કારે છે; મતલબ કે ગુર્જર-બરમા પ્રજાના સંસ્કાર-સંપર્કને આલેખતી આ વાર્તા છે.૧૯૪૨ના વર્ષમાં બ્રહ્મદેશથી હિંદવાનોની જે હિજરત થઈ તે ઇતિહાસમાં અપૂર્વ બની ગઈ છે. એ હિજરતનાં જ પ્રસંગ-ચિત્રો એકત્રિત કરીને પુસ્તકાકારે આપવા ઉમેદ જન્મી હતી. ...... તમામ પાત્રો કલ્પિત છે. વાર્તાની સંકલના કલ્પિત છે. છતાં આ કૃતિની પરિપૂર્ણ પીઠિકા વાસ્તવનિષ્ઠ છે. વલણોનાં વહેણ સાચાં છે. પાછલાં પ્રકરણોમાં યુદ્ધકાળનું આલેખન જેમ દર વિગતે વફાદાર અહેવાલ ન હોવા છતાં એનું કલ્પનારૂપ તથ્યાવલંબી છે, તે જ વાત આખી વાર્તા પરત્વે સાચી સમજી લેવાની છે. ...આ લખાણ એકધારું કર્યું છે, અને એક સર્જક તરીકે મારી પ્રત્યેક કૃતિના સર્જન દરમ્યાન તેમ જ તે પછી જે સુખસંવેદન મને દેવી શારદાનો વરદ હસ્ત આપે છે, તે તેણે આ વેળા તો મૂઠી ભરીને નહીં, પણ ખોબલે ભરીને આપ્યું છે. આ પુસ્તક મેં સંતોષનો ઘૂંટડો ભરીને સમાપ્ત કર્યું છે.