Poot Anokho Janmyo (Set of 2 Books) By Narendra Kohli
પૂત અનોખો જન્મયો - નરેન્દ્ર કોહલી
સ્વામી વિવેકાનંદની જીવનની ક્રાંતિકારી મહાગાથા
પુત્રના લક્ષણ પારણામાં જ દેખાઈ આવે છે,એવા જ હતા નરેન્દ્ર.ખરેખર અનોખો જન્મ હતા તેઓ.આ કહેવત ક્રાંતિકારી વિચારક સ્વામી વિવેકાનંદના જીવન પર પૂર્ણરૂપથી ખરી ઉતરે છે.સ્વામી વિવેકાનંદના પિતા પોતાના પુત્રને અંગ્રેજી ભણાવીને મોટો અધિકારી બનાવવા ઈચ્છતા હતા,પરંતુ જન્મથી જ નરેન્દ્રની અંદર પરમ સત્યને મેળવવાની લાલસા પ્રબળ હતી.એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસે એમને આધ્યાત્મિકતાનું અમૃત પાન કરાવીને એમની આ તરસને શાંત કરી.
એમણે શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને જયારે પોતાના વિચારોથી લોકોને અવગત કરાવ્યા,તો આખું વિશ્વ ચકિત થઇ ઉઠ્યું અને લાખો લોકો એમના અનુયાયી થઇ ગયા.એમણે કેટલાય વર્ષો સુધી ભારતીય તત્વજ્ઞાનની અદ્ભુત જ્યોતિ પ્રગટાવી અને વિદેશીઓના હૃદયથી ભ્રમનું અંધારું દુર કરીને જન કલ્યાણ કર્યું અને લોપ થઇ રહેલા ધર્મ તેમજ અધ્યાત્મમાં નવપ્રાણોનો શંખનાદ કરીને વિશ્વને ભ્રમિત થવાથી બચાવી લીધું