Mane Varsad Bhinjve (Novel)
મને વરસાદ ભીંજવે -નવલકથા
શરદ ઠાકર
આ નવલકથા મુંબઈથી પ્રકાશિત થતા સામયિક 'જોગ સંજોગ' માં હપ્તાવાર પ્રગટ થયેલ હતી.એક સત્ય ઘટના ઉપરથી રચાયેલી કથા છે.
નુપુર અને ઘટા બંને સુંદર યુવતીઓ એક જ વાર જુઓ તો પણ જિંદગી આખી ભૂલી ન શકો તેવી ખુબસુરત અપ્સરાઓ અને આ બે જીવંત શિલ્પો વચ્ચે અથડાતો, કૂટાતો, ભરમાતો અને સંજોગોના હાથનો માર ખાતો નિખાર ,બસ આ હિંદુ મેરેજ એક્ટના બંધન અને સમાજના પ્રતિબંધની કશ્મકશમાંથી સર્જાય છે ઘટનાઓના આટાપાટા, ત્યાગ અને બલીદાનની ધડાધડી અને કોઈએ સપનામાં ન ધાર્યા હોય તેવા એના પરિણામો
'ડો.ની ડાયરી' આજે પણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સાચા અને સારા ડોક્ટર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. આજેય હજારો યુવતીઓ 'રણમાં ખીલ્યું ગુલાબ' વાંચવા માટે જીવે છે અને પ્રેમમાં નાસીપાસ થયેલી સેંકડો યુવતીઓ ડો. શરદ ઠાકરના એક ટેલીફોનીક આશ્વાસન પછી આત્મહત્યા કરવાનું માંડી વાળે છે.
કારણ ? કારણ માત્ર એ જ કે ડો. શરદ ઠાકર માત્ર કલમથી નથી લખતા, પણ કસબથી લખે છે, દિમાગથી નહિ, દિલથી લખે છે
ગુજરાતી ભાષામાં ડો. શરદ ઠાકરની કલમનુ મૂલ્ય શરદ ઋતુ જેવું છે. એ પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવે છે કોઈ પણ વાર્તાને તેઓ રસપ્રદ શૈલીમાં રજુ કરે છે લેખના શીર્ષક તરીકે કવિતાની પંક્તિઓ તેમની મુખ્ય ખાસિયત રહી છે.
ડો.શરદ ઠાકર વ્યવસાયે તબીબ હોવાં છતાં છે એક લોકપ્રિય અને અનોખા સર્જક પણ છે..‘દિવ્ય ભાસ્કર’દૈનિકની બુધવારની પૂર્તિ ‘કળશ’માં ‘ડોક્ટરની ડાયરી’ અને રવિવારની પૂર્તિ ‘સન્ડે ભાસ્કર’માં પ્રસિદ્ધ થતી એમની લોક પ્રિય કોલમ‘રણમાં ખીલ્યું ગુલાબ’ના લેખક ડો..શરદ ઠાકર ઘણાં વર્ષોથી શબ્દોની આરાધના કરીને એમની કલમની કરામતનો ગુજરાતી વાચકોને પરિચય કરાવી રહ્યા છે..એમાંય ખાસ કરીને યુવા વાચકોની તો એમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત કરી છે.
સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી પ્રસંગોને આવરી લેતાં ડો.શરદ ઠાકરનાં આજ દિન સુધી લગભગ ૩૫થી એ વધુ પુસ્તકો બહાર પડી ચૂક્યાં છે.ડો.ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી રજુ કરે છે.તેમની કલમમાંથી હૃદયને સ્પર્શે એવી રસાળ શૈલીમાં શબ્દો સાહજિકતાથી નીતરે છે.એક સાથે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં મુસ્કાન લાવવાની તાકાત આ ગુજરાતી સર્જકમાં રહેલી છે.
|